Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઈ ટિકળખોરે રિક્ષામાં આગ લગાવી.

Share

ભરૂચનાં નીલકંઠ નગર ઝૂંપડપટ્ટીમાં નાનો મોટો ઝઘડો થતાં રિક્ષામાં આગ લગાડી હોવાનું જાણવા મળેલ છે. જોકે સ્થાનિકોએ આગને કાબુમાં લીધી હતી. ગતરોજ રાત્રિનાં સમયે નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઇકે રિક્ષામાં આગ લગાડી હતી. આગ લાગતાં આગ અંગેની જાણ થતાં ઝૂંપડપટ્ટીમાંથી લોકો દોડી આવી પાણીનો મારો કર્યો હતો. થોડા સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી. એમ મનાઈ રહ્યું છે કે કોઈ ટીખળખોરે કે અંગતઅદાવતે રિક્ષામાં આગ લગાડવામાં આવી હતી. જોકે આગ સમયસર કાબુમાં આવી જતાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામની સહજાનંદ સોસાયટીમાં જુગાર રમતા પાંચ જુગારીઓને શહેર પોલીસે ઝડપી લઇ 31 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર- ONGC કોલોનીમા ૧૫ થી વધારે વૃક્ષો કાપી નાખતા મામલો ગરમાયો, મામલતદાર તથા વનવિભાગને ફરિયાદ કરવામાં આવી…

ProudOfGujarat

માંગરોળ કોંગ્રેસ સમિતિએ આદિવાસી સમાજના પ્રશ્નો વિધાનસભામાં વાંચા આપવા અંગે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!