Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આવતીકાલે એટલે કે તારીખ ૧૬-૦૫-૨૦૧૯ ના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.સંસ્થાના પ્રમુખ કિરણકુમાર સોલંકી તેમજ મહામંત્રી ધર્મેશભાઈ સોલંકીએ આ શુભ પ્રસંગે સમસ્ત વાલ્મિકી સમાજને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં દાનવીર દાતાશ્રીઓનો સંસ્થાના આયોજકોને હિમ્મત તથા પ્રોત્સાહન પૂરું પાડવા બાદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.પ્રથમ તેમજ દ્રિતીય સમૂહ લગ્નોત્સવના સફળ આયોજન બાદ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે તો આ શુભ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા સમસ્ત વાલ્મિકી સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

સુરતમાં ગટરમાં ઊતરેલા 4 લોકો ગૂંગળાયા, એકનું મોત

ProudOfGujarat

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની યોજાયેલી બેઠક.

ProudOfGujarat

છોટાઉદેપુર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રૂ. 839.87 કરોડને ખર્ચે સંપન્ન હાફેશ્વર યોજનાનું લોકાર્પણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!