Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરાયું.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના અગ્રવાલ સમાજના સભ્યોની આસ્થાના કેન્દ્ર સમા અગ્રસેન ભગવાન સદભાવના અને અગ્ર ચેતનાના સંદેશ સાથે નીકળેલ રથયાત્રાનું અંકલેશ્વર ખાતે સ્થાનિક અગ્રવાલ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. અંકલેશ્વર ખાતે 50 જેટલી કાર સાથે પુણે થી નીકળીને આગરા જઈ રહેલા સદભાવના રથનું સ્થાનિક અગ્રણીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપ-પ્રમુખ ગણેશ અગ્રવાલ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. સદભાવનાના સંદેશને પ્રસરાવવા માટે શુભેચ્છાઓ પાઠવી મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો હાજર રહ્યા હતા. પૂણેથી નિકળેલ આ રથયાત્રા અગ્રવાલ સમાજના મંદિરે પહોંચશે જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પીરકાંઠી વિસ્તારમાં મકાનનો એક હિસ્સો ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર રજવાડી હોટલના મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જીની ટીમ

ProudOfGujarat

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા :પેન્ટની અંદર પગ પાસે છુપાવી 93 બોટલ કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!