Proud of Gujarat
FeaturedGujaratHealth

વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે અન્ય કાર્યક્રમોના સમયે યોજાતા રક્તદાન કેમ્પો.રક્તદાન કેમ્પ અને રક્તદાતાઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો અગ્રેસર…

Share

ભરૂચ જિલ્લામાં સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.આ ઉપરાંત દિન-પ્રતિદિન રક્તદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.રમા ગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા અને બીજા અનેક ટ્રસ્ટો ભરૂચ જિલ્લા રેલવે પાસ હોલ્ડર એસોસિએશન સહિતના 90 કરતાં વધારે ટ્રસ્ટો અને સંગઠનો નિયમિત રીતે વર્ષમાં એક કરતાં વધારે વખત રક્તદાન કેમ્પોનું આયોજન કરે છે.જેના પગલે રેકોર્ડબ્રેક રક્ત યુનિટ એકત્રિત કરાય છે.સાથે-સાથે રક્તદાતાઓની સંખ્યામાં પણ એકધારો વધારો થઈ રહ્યો છે એટલે સુધી કે કેટલાક સમાજમાં જેવા કે સૌરાષ્ટ્ર વિસ્તારના ભરૂચમાં વસતા કેટલાક સમાજના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ બેઠકમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.આમ ભરૂચ જિલ્લો રક્ત એકત્રિત કરવામાં અને તેથી લોકોના જીવ બચાવવામાં સદાય અગ્રેસર રહે છે.જે નોંધપાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામના બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચ : તંત્ર નહિ સ્મશાન સાબિતી આપે છે, કોવિડ પ્રોટોકોલથી મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત, અત્યાર સુધીનો આંકડો ૬૦૦ ને પાર..!!

ProudOfGujarat

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં વન ભોજન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!