Proud of Gujarat
FeaturedGujarat

માછીમાર સમાજ નર્મદા નદીના અસ્તિત્વ અંગે મેદાનમાં.સંઘર્ષ યાત્રાનું કરેલ આયોજન…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા નદીનો પટ દિન-પ્રતિદિન સુકાય રહ્યો છે.ત્યારે પટ પર વસતા કિસાનોને તેમજ માછીમારોને ખુબ મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે.ત્યારે નર્મદા નદીના અસ્તિત્વ સામે ઝઝુમતા એવા માછીમાર સમાજ મેદાને પડતા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું.ભરૂચ નજીક નર્મદા સૂકી બની જતા નર્મદા નદીમાં પાણી છોડવા અંગે ઉગ્ર માંગ લાંબા સમયથી ઉભી થઇ છે.વારંવાર વિવિધ સંગઠનો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે વારંવાર આવેદન પત્રો અને ધરણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.તેમ છતાં તત્રં દ્વારા કોઈ હકારાત્મક નિર્યણ ન લેવાતા અને ડેમ માંથી પાણી છોડવામાં ન આવતા ફરીવાર ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..આ સંઘર્ષ યાત્રા ભરૂચના વેજલપૂર માંથી શરૂ થઇ હતી.જે રહિયાદ સુધી પોહચી હતી.આ સંઘર્ષ યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા.કારમી ગરમીની પરવા કર્યા વિના માછીમારો મોટી સંખ્યામાં આ સંઘર્ષ યાત્રામાં જોડાયા હતા.

Advertisement


Share

Related posts

ફિટનેસ ફ્રીક જ્યોર્જિયા એન્ડ્રિયાની બાની એન્ટરપ્રેનર હેલ્ધી જીવન અને સ્મૂધ સ્કિન માટે આયુર્વેદિક પ્લાન્ટ-આધારિત કોલેજન રેડી-ટુ-ડ્રિંક શૉટ લૉન્ચ કર્યો.

ProudOfGujarat

વડોદરામાં સાવલી તાલુકાના ખોખર ગામમાં ઘર આંગણે ગાજાનું વાવેતર ઝડપાયું

ProudOfGujarat

ભરૂચ તાલુકા પોલીસ મથક ની હદ માં આવેલ એક ગામ માં રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી દુસ્કર્મ આચરનાર શખ્સ ને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!