ભરૂચ:
ભરૂચ શહેરને વધુ સ્વચ્છ અને સુવિધાયુક્ત બનાવવાના હેતુથી પાલિકા દ્વારા શહેરના નવી વસાહત વિસ્તારમાં બ્લોક નાખી લોકોને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા હતા. શરૂઆતમાં નાગરિકોએ આ સુવિધાનો લાભ લીધો હતો, પરંતુ સમય જતા કેટલાક લોકો દ્વારા ત્યાં ગંદકી ફેલાવવામાં આવતા હાલ આ બેસવાની જગ્યા બિનઉપયોગી બની ગઈ છે.ગંદકીના કારણે આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ સ્વચ્છતા અભિયાનની ભાવનાને પણ આઘાત પહોંચ્યો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે જાહેર સુવિધાનો આ રીતે દુરુપયોગ થવાથી અન્ય નાગરિકોને અસુવિધા સહન કરવી પડે છે.આ બાબતે પાલિકા દ્વારા નિયમિત સફાઈ, દેખરેખ અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે.
Advertisement
