Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ટેમ્પો- ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત

Share

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ટેમ્પો- ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે–48 પર સુરતથી ભરુચ જવાના માર્ગ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવા ટ્રક અને આઇસર વાહન વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પોચાલકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર ટેમ્પાના કેબિનનો ખુરડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે અંકલેશ્વર ડીપીએમસીની મદદથી ભારે જહેમત બાદ આઇસર ચાલકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અકસ્માત બાદ હાઇવા ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.શહેર બી ડિવિઝન પોલીસે ફરાર હાઇવા ટ્રક ચાલકને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ: પૂજાની ઘંટડી વગાડતા મહિલાને ઉશ્કેરાયેલા પતિ અને પુત્રએ માર માર્યો: મહિલાએ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોતના મામલે ગુજરાત સૌથી આગળ

ProudOfGujarat

ભરૂચ પાલિકાનો ડીજી સેટ બિનઉપયોગી, અરજદારોને વીજપુરવઠો ન હોય ત્યારે ધરમના ધક્કા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!