Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં ૧૨ મી ફેબ્રુઆરીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી ૨ લાખ લોકોને એક ટાઈમનો પાણી કાપ વેઠવો પડશે

Share

 

અમલેશ્વર બાન્ચથી માતરિયા તળાવ સુધી નવી એમએસની પાઈપ લાઈન નંખાશે

Advertisement

આખા દિવસમાં એકવાર માત્ર સવાથી દોઢ કલાક સુધી જ પાણી મળશે

ભરૂચ

ભરૂચ શહેરમાં પાણી પુરૂ પાડતાં માતરિયા તળાવમાં ચાવજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પિવાનુ પાણી પુરુ પાડવામાં આવ છે. જોકે, હાલમાં કેનાલથી માતરિયા તળાવ સુધી ૧૪૨૨ એમએમ વ્યાસની એમએસ પાઈપ લાઈન નાંખવામાં આવનાર છે. જે કામગીરીને પગલે ૧૨મી ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી સુધી કેનાલમાંથી માતરિયા તળાવમાં પાણી આવી શકે તેમ ન હોવાથી માતરિયા તળાવના પાણીથી જ શહેરની પાણીની જરુરિયાત પુરી પાડવામાં આવશે. જેના પગલે નગરપાલિકાએ આ સમયગાળા દરમિયાન એક ટાઈમ પાણી આપવાનું નક્કી કર્યું છે. તેમજ તે માટે પાણી વિતરણનો નવો સમય નક્કી કરવામાં આવતાં શહેરની ૨ લાખથી વસ્તીને એક સમયનો પાણી કાપનો સામનો કરવો પડશે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, નગરપાલિકા દ્વારા વીસેક વર્ષ પહેલાં અમલેશ્વર બાન્યથી માતરિયા તળાવ સુધી મોટા ડાયામિટરની આરસીસીની પાઈપ લાઈન નાંખવામાં આવી હતી. જે સમયાંતરે પાઈપ લાઈન ખરાબ થતાં કેટલાંક સ્થળેથી લીકેજ થવા લાગી હતી. દરમિયાનમાં ગુજરાત શહેરી વિકાસ કંપની કંપનીના સુપરવિઝનમાં નવી પાઈપલાઈન નાંખવાની કામગીરી શરુ થઈ છે. ત્યારે શ્રવણ ચોકડી, નારાયણ ગાર્ડન સોસાયટી, ગરમિયા કાંસ પાસે તેમજ હયાત હોટલ પાસે પાઈપ લાઈન ક્રોસિંગ, પુશિંગ કરવાની કામગીરી થશે તા.૧૨ મી ફેબ્રુઆરીથી તા.૧૯ મી ફેબ્રુઆરી દરમ્યાન માતરિયા ઈન્ટેકવેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત બે સમયના બદલે એક સમય પાણી પુરવઠો આપવામાં આવશે. નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો, અનાવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલીક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે.


Share

Related posts

ભરૂચ-પાલેજ વચ્ચે ખખડધજ બસો ગોકળ ગતિ એ ચાલી રહી છે

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

વાગરાના કચ્છીપુરા ગામે ઊંટના મોતનો મામલો, જીપીસીબી એ ONGC ને ફટકાર્યો લાખોનો દંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!