Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ ફરી આદિવાસી સમાજનાં હક્કો માટે અવાજ ઉઠાવ્યો અને ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની અપીલ કરી હતી.

Share

રાજયમાં કેટલાક માલધારી, રબારી સહિતની જાતિનાં લોકોએ ખોટા આદિવાસીનાં પ્રમાણપત્ર બનાવીને સરકારના તમામ લાભો મેળવ્યા હોવાની લોક ફરિયાદ ઉઠતાં સાચા આદિવાસી સમાજ જાગૃત થયો અને આંદોલન શરૂ થયા માટે આ આંદોલનને ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇએ ખુલ્લે આમ ટેકો જાહેર કર્યો હતો. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ ખોટા આદિવાસીનાં 200 જ દાખલા નથી હજારો દાખલા છે જે ડુપ્લિકેટ આદિવાસીઓ છે તેઓ સરકારી લાભ મેળવી રહ્યા છે અને અસલી આદિવાસીઓનો અધિકાર છીનવાઇ રહ્યો છે માટે તેમણે “નસવાડી હટાવો” અને “નસવાડી રદ કરો” ની વાત કરીને હવે સાચા આદિવાસીઓને આંદોલનમાં જોડાવવાની સાથે સાથે જે આદિવાસી ચૂંટાયેલા નેતા પ્રતિનિધિઓ છે તેમણે આ આંદોલનમાં સાથ સહકાર આપવો જોઈએ. સરકાર સામે તેની રજૂઆત કરવી જોઈએ તેમ સાંસદ સભ્ય મનસુખભાઇએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ: જાયન્ટસ ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા સહાય અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

એક્શન સુપરસ્ટાર ટાઇગર શ્રોફ એક નવા રોમાંચક સહયોગમાં ક્રાફ્ટનના BGMI સાથે રમતના ચહેરા તરીકે જોડાયા છે.

ProudOfGujarat

ડભોઈની માઁ ભારતી સેવા સમિતિ દ્વારા ગૌરી વ્રતનાં તહેવારને લઈ શ્રમજીવી વિસ્તારમાં ડ્રાયફુટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!