વિશ્વ પર્યાવરણ દિન 5 જુન નાં દિવસે અંકલેશ્વર પ્બલીક સ્કુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી.આ નિમિત્તે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ની ઉપસ્થીતીમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાના માગઁદશઁનથી વૃક્ષારોપાણ કરવામાં આવ્યુંહતું.આ કાયઁકમનો ઉદેક્ષય સમાજમાં પયાઁવરણ અંગે જાગૃતી લાવવાની સાથે પ્રકુતિની રક્ષા અને જાળવણી કરવા માટે પ્રેરીત કરવાનો છે. પર્યાવરણ આપણને સ્વચ્છ હવા, પાણી, ખોરાક અને જીવન માટે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડે છે. વધતા પ્રદૂષણ અને વૃક્ષોનું વિનાસકારી નાસ,કુદરતી સંસાધનોના વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. જે આપણા સવેઁ માટે આજે ખુબ મોટો પ્રશ્ન અને ચિંતાનો વિષય બન્યો છે. આપણે બધાની જવાબદારી છે કે વધારે માં વધારે ઝાડ લગાવવા અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, પાણી અને વીજળીની બચત કરવી પડશે.આ કાયઁકમમાં શિક્ષકો,નોન ટીચીંગ સ્ટાફ અને શાળામાં ભણતા વિધ્યાથીઁઓનાં વાલીઓ ખાસ ઉપસ્થીત રહ્યાં હતા
