Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં 31 મી માર્ચ સુધી આધારકાર્ડ, જનસેવા કેન્દ્ર, રેશન કાર્ડની કામગીરી બંધ કરવા જીલ્લા કલેકટરે આદેશ બહાર પાડયો છે.

Share

કોરોના વાઇરસની મહામારીને નાથવા દરેક સ્તરે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ગઇકાલે ભરૂચમાં શોપિંગ મોલ અને સિનેમા ઘરો, શાળા, ટયુશન કલાસ બંધ કરાવવામાં આવ્યા બાદ આજે ભરૂચ જીલ્લા કલેકટરે જીલ્લામાં 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યાં આજથી ભરૂચની મામલતદાર કચેરી ખાતેથી ચાલતી રેશન કાર્ડ કાઢવાની કામગીરી, જનસેવા કેન્દ્ર, આધારકાર્ડની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. તા.21/3/2020 થી 31/3/2020 સુધી તમામ કામગીરી બંધ કરવા સાથે કચેરીમાં લોકો એકત્ર નહીં થયા તેવા આદેશ કરવામાં આવ્યો છે. આમ કોરોના વાઇરસને અટકાવવા માટે જનસેવા કેન્દ્ર પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પૂર આવેને પાળ બાંધવા જેવી સ્થિતિ, નગરપાલિકા કર્મચારીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે પડયા.

ProudOfGujarat

ભરૂચમાં વહીવટી તંત્ર ની બેદરકારીના કારણે જાહેર માર્ગોમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ કરતા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસનાં કાર્યકરો જ્યાં મળે ત્યાં શુભેચ્છાઓ આપો, રાજસ્થાન ડુંગરપુર પંચાયતની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસનાં ગઠબંધનને લઈ BTP નાં છોટુ વસાવાનાં આકરા પ્રહાર- જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!