Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઈરસની દહેશતને પગલે ભરૂચ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે કોઈ મહામારીને કારણે પહેલી વખત જાહેરનામું બહાર પડાયું છે.

Share

સામાન્ય રીતે ચારથી વધુ લોકોના ભેગા થવા પરનું વહીવટીતંત્રનું જાહેરનામું કોઈ અનિવાર્ય સંજોગોમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને કારણે ભરૂચ જિલ્લા કલેકટરે પાંચથી વધુ લોકોના એકત્ર થવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી તેનો કડક અમલ કરવા સૂચના આપી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જિલ્લા કલેકટરએ શુક્રવારે જાહેરનામું જારી કર્યું છે, જેમાં જણાવાયું છે કે, હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.ભરૂચ જિલ્લા, શહેર વિસ્તાર નોવેલ કોરોના વાઇરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની તકેદારીના પગલાં રૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા માટે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે, આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860 ની કલમ-188 તથા ગુજરાત પોલીસ એકટની કલમ-135 મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામામાં સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમને હોમગાર્ડ જેઓ ફરજ પર હોય તેઓ તથા સ્મશાનયાત્રાને અપવાદરૂપ ગણાયા છે

Advertisement

Share

Related posts

નડિયાદ : કણજરી ચોકડી પાસે સિમેન્ટ આર્ટીકલની ૩ ફેક્ટરીમાં તસ્કોરોએ ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભેંસવડી ગામ પાસે શેત્રુંજી નદીના આરામાં બેફામ થતી ખનીજ-રેતી ચોરી અટકાવવા કલેક્ટરને પત્ર પાઠવાયો.

ProudOfGujarat

વલસાડના ધોબી તળાવ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં જીવાતવાળું અનાજ આપતા ગ્રાહક મામલતદાર કચેરીએ પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!