Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં 31 મી માર્ચ સુધી આધારકાર્ડ, જનસેવા કેન્દ્ર, રેશન કાર્ડની કામગીરી બંધ કરવા જીલ્લા કલેકટરે આદેશ બહાર પાડયો છે.

Share

કોરોના વાઇરસની મહામારીને નાથવા દરેક સ્તરે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. ગઇકાલે ભરૂચમાં શોપિંગ મોલ અને સિનેમા ઘરો, શાળા, ટયુશન કલાસ બંધ કરાવવામાં આવ્યા બાદ આજે ભરૂચ જીલ્લા કલેકટરે જીલ્લામાં 144 ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યાં આજથી ભરૂચની મામલતદાર કચેરી ખાતેથી ચાલતી રેશન કાર્ડ કાઢવાની કામગીરી, જનસેવા કેન્દ્ર, આધારકાર્ડની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. તા.21/3/2020 થી 31/3/2020 સુધી તમામ કામગીરી બંધ કરવા સાથે કચેરીમાં લોકો એકત્ર નહીં થયા તેવા આદેશ કરવામાં આવ્યો છે. આમ કોરોના વાઇરસને અટકાવવા માટે જનસેવા કેન્દ્ર પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

રાજકોટ-સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર લઇ રહેલ યુવતીનું મોત…

ProudOfGujarat

મહેસાણાથી ટ્રકમાં 16 પશુઓને ખિચોખિચ ભરી મહારાષ્ટ્રના ધૂલિયા લઇ જતાં બે ઝબ્બે

ProudOfGujarat

સુરત / પાલિકા સામે પડેલા ધારાસભ્યએ કહ્યું, દબાણો નહીં હટે તો લોકો સાથે રસ્તા પર ઉતરીશું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!