Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. બીલીમોરાના મૂર્ધન્ય કવિશ્રી ખંડુભાઈ ચૌહાણ તથા ઈખરના જાણીતા સમાજસેવક એહમદભાઈ મનભડ પટેલના સ્મરણાર્થે એક સ્મરણાંજલિ કાર્યકમ કવિશ્રી કે.કે.રોહિતના સદન નિવાસે જનશિક્ષણ સંસ્થાનના ડાયરેકટર શ્રી જૈનુદ્દીન સૈયદના પ્રમુખપદે યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે નંદેલાવ ગામના સરપંચ શ્રી રતિલાલ ચૌહાણ તથા સિવિલ હોસ્પિટલ ભરુચના ડૉ. આર.સી.મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કવિ જતીન પરમાર ‘અભિગમ’, ભગુભાઈ ભીમડા, પ્રવિણભાઈ ઈખરવી, યકીન ટંકારવી, જે .એન.વ્યાસે કવિતા થકી સ્વર્ગસ્થની યાદોને વાગોળી. ભરૂચના લોકગાયક ચીમનભાઈ પરમારે તથા હલદરવાના સંગીતકાર ચીમનભાઈ પરમારના તરન્નુમ થકી કવિઓની કવિતાને સંગીતમય રીતે રજૂ કરી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સજોદના આચાર્ય વિરેન ઘડિયાળીએ કર્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહિલા દિન નિમિત્તે સ્કીલ હબનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં નવા સાત વાહનોનો ઉમેરો થતા અગ્નિશમન ક્ષમતામાં નોંધ પાત્ર વધારો થવા પામ્યો છે.

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!