Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનાં કુલ 7 લોકોનાં પોઝિટીવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share

દુનિયાભરમાં હાહાકાર મચાવનારી કોરોના વાઇરસની બીમારી હવે ભારતમાં પણ કહેર મચાવવાનું શરૂ કર્યું છે. જેમાં હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસ વધવા અને મૃત્યુઆંક વધવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ભરૂચ જીલ્લામાં પણ 7 જેટલા લોકોનાં કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં ઇખર ગામમાં તામિલનાડુથી આવેલ જમાતનાં 11 લોકો પૈકી 4 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે સાંજનાં વધુ એકનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે જંબુસરમાં દેવલા ગામનાં બે લોકોનાં રિપોર્ટ પણ પોઝિટીવ આવતા તેમણે પણ વિશેષ બનાવેલી જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ લોકોને વહીવટીતંત્ર તરફથી અપીલ કરી છે આ લોકોનાં સંપર્કમાં આવેલા લોકો સ્વેચ્છાએ પોતાની મેડિકલ તપાસ કરાવી લેવી.

Advertisement

Share

Related posts

વિશ્વભરમાં ગુજરાતને ટોચનું મગફળી ઉત્પાદક બનાવવાનો ગ્રાઉન્ડ નટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આરોગ્ય તંત્રનું ખુદનું આરોગ્ય જોખમાયું…

ProudOfGujarat

ઝગડીયાના ભાલોદ ગામે શ્રીપરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!