Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને કરી.

Share

દુનિયાભરમાં મહા સંકટ એવા કોરોના વાયરસથી ફેલાતી મહામારીમાં લોકડાઉનનાં લીધે ધંધો રોજગાર બંધ થઇ જતા લાખો લોકો પરિવારો આર્થિક સંકટમાં છે. ગરીબ, મધ્યમવર્ગ તેમજ રોજ કમાઈને ખાવાવાળાની હાલત ખુબ કફોડી છે ત્યારે ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ કરી. નગર સેવા સદનમાં વિપક્ષના નેતા સમસાદ સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળી તમામ મિલકત ધારકોના 6 મહિનાના તમામ વેરા માફી અંગે પાલિકા દ્વારા લોકહિતમાં નિર્ણય લેવામાં આવે એવી દરખાસ્ત કરી રજૂઆત કરવામાં આવી.

Advertisement

Share

Related posts

લીંબડી એચડીએફસી બેન્ક પાછળ ચાલતા શિવણ કલાસિસ ખાતે આજે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ભાદરવો ભરપુર : ઝઘડિયા તાલુકામાં ૧૫ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!