Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને કરી.

Share

દુનિયાભરમાં મહા સંકટ એવા કોરોના વાયરસથી ફેલાતી મહામારીમાં લોકડાઉનનાં લીધે ધંધો રોજગાર બંધ થઇ જતા લાખો લોકો પરિવારો આર્થિક સંકટમાં છે. ગરીબ, મધ્યમવર્ગ તેમજ રોજ કમાઈને ખાવાવાળાની હાલત ખુબ કફોડી છે ત્યારે ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ કરી. નગર સેવા સદનમાં વિપક્ષના નેતા સમસાદ સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળી તમામ મિલકત ધારકોના 6 મહિનાના તમામ વેરા માફી અંગે પાલિકા દ્વારા લોકહિતમાં નિર્ણય લેવામાં આવે એવી દરખાસ્ત કરી રજૂઆત કરવામાં આવી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શ્રોફ એસ.આર રોટરી ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકના એએસઆઇ ૪૫૦૦ ની લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની કેટલીક સરકાર માન્ય દુકાનોમાં ગેરરીતિઓ આચરાતી હોવાની બુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!