Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આગામી શ્રાવણ માસનાં અને અન્ય તહેવારો યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નો જાણો વાસ્તવિક હકીકત.

Share

ભરૂચ જીલ્લામાં શ્રાવણ માસનાં તહેવારોનો મહિમા અનેરો છે. જેમાં સૌ પ્રથમ માત્ર ભરૂચ જીલ્લામાં જ નહીં પરંતુ અનેક જગ્યાએ પ્રખ્યાત મેધરાજાની સ્થાપના અને તેના ભવ્ય મેળાનું આયોજન છે. કોરોના મહામારીનાં પગલે મળતી માહિતી મુજબ મેધરાજાની પ્રતિમાની સ્થાપના વિધિવત કરવામાં આવે તેવી સંભાવના છે પરંતુ મેળાનાં આયોજન અંગે હજી પ્રશ્નો યથાવત છે. કોરોનાની મહામારીને પગલે અતિ પ્રસિદ્ધ એવાં આ મેળાનું આયોજન કદાચ શકય નહીં બને તે સાથે છડી કે જે ભરૂચ જીલ્લાની આગવી ઓળખ છે તે છડી નોમનું પર્વ પણ દર વર્ષની જેમ યોજાશે કે કેમ તે હાલ કહી શકાય તેમ નથી. કોરોનાને પગલે ભરૂચ પંથકમાં તહેવારોથી વંચિત રહેવાથી માનસિક ઉદાસીનતાની લાગણી અનુભવી રહ્યા છે. વધતાં જતાં કોરોનાનાં કેસોને બ્રેક લાગે તેવી કામના ભરૂચવાસીઓ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ ના ઝંખવાવ હદ વિસ્તારનો પોલીસની હાજરીમા દારૂની મહેફિલ નો વિડિઓ સોસીયલ મીડિયામાં થયો વાયરલ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે દલીતને હકો અપાવાવામાં સરકારનું વહીવટી તંત્ર સંદતર નિષ્ફળ ગયેલ છે તે બાબતે ગુજરાતના રાજ્યપાલશ્રી ને ઉદ્દેશીને ભરૂચ જીલ્લા કલેકટર ખાતે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

ProudOfGujarat

થર્ટી ફર્સ્ટ નજીક આવતા દારૂની રેલમછેલ : રાજકોટમાંથી પકડાયો દારૂનો મોટો જથ્થો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!