Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખૂનનાં ગુનામાં સજા ભોગવતા અને રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફલો સ્કોડ ભરૂચ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ પેરોલ પર આવતા અને ફરાર થઈ ગયેલ આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ કરી રહી છે. ત્યારે મળતી બાતમીને આધારે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને પી.એસ.આઇ. બી.ડી.વાધેલાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડએ ખૂનનાં ગુનામાં સજા ભોગવનાર અને રજા પર આવેલ ફરાર થયેલ આરોપીને ઝડપી પાડેલ હતો. આ અંગેની વિગત જોતાં આ.હે.કો.જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ અને અનિલ દિતાભાઇને સયુંકત રીતે બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન મથકે નોંધાયેલા હત્યાનાં ગુનાનાં પાકા કેદી મોહન ભાણાભાઈ વસાવા રહે.કોસમડી તા.અંકલેશ્વર રજા પર મુકત થયેલ હતા પરંતુ રાજા પુરી થયા બાદ કેદીએ તા.20-4-2020 નાં રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા જેમને બાતમીનાં આધારે કોસમડી તેમના ઘર ખાતેથી ઝડપી પાડી કોરોના કેસ અંગેની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે સ્મૃતિસ્થળનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

ProudOfGujarat

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડનું પ્રથમ એનએફઓએ રૂ.1400 કરોડ એકઠા કર્યા.

ProudOfGujarat

અમદાવાદના નિકોલથી લક્ઝરી બસની ચોરી કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!