Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખૂનનાં ગુનામાં સજા ભોગવતા અને રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફલો સ્કોડ ભરૂચ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ પેરોલ પર આવતા અને ફરાર થઈ ગયેલ આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ કરી રહી છે. ત્યારે મળતી બાતમીને આધારે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને પી.એસ.આઇ. બી.ડી.વાધેલાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડએ ખૂનનાં ગુનામાં સજા ભોગવનાર અને રજા પર આવેલ ફરાર થયેલ આરોપીને ઝડપી પાડેલ હતો. આ અંગેની વિગત જોતાં આ.હે.કો.જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ અને અનિલ દિતાભાઇને સયુંકત રીતે બાતમી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન મથકે નોંધાયેલા હત્યાનાં ગુનાનાં પાકા કેદી મોહન ભાણાભાઈ વસાવા રહે.કોસમડી તા.અંકલેશ્વર રજા પર મુકત થયેલ હતા પરંતુ રાજા પુરી થયા બાદ કેદીએ તા.20-4-2020 નાં રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા જેમને બાતમીનાં આધારે કોસમડી તેમના ઘર ખાતેથી ઝડપી પાડી કોરોના કેસ અંગેની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગોધરા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

અનુષ્કા તથા વિરાટ કોહલીને ફરીથી લગ્ન કરવા પડશે ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!