Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરની આસપાસ ના વિસ્તાર માં રસ્તા પર ફેંકાયેલી પી.પી.ઈ કીટો…કોરોના જેવી મહામારી ના સમય માં આવી બેદરકારી માટે કોણ જવાબદાર…?

Share

ભરૂચ નગર પાસે આવેલ જ્યોતિ નગર જેવા રહેનાક વિસ્તાર માં કચરા માં પી.પી.ઈ કીટ જણાતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ કારણોસર કોરોના ભયાનક રીતે ફેલાય તે માટે જવાબદારી કોની તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સાથે જ પી.પી.ઈ કીટ વગે કરનાર સામે અને તત્ર સામે રોષ ની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ નગર માં પણ કેટલાક દિવસો પહેલા પી.પી.ઈ કીટ કચરાપેટી માંથી મળી આવી હતી. આ ઘટના ને ગણત્રી ના દિવસો વીત્યા છે. ત્યા જ્યોતિનગર પાણી ની ટાંકી પાસે કચરા માં પી.પી.ઈ કીટ મળી આવી હોવાની ઘટના બની છે.hu આ ઘટના અંગે કોઈ તબીબ જવાબ દાર હોય શકે છે અથવા તો મેડિકલ વેસ્ટ કચરા અંગે કોઈ ભૂલ થઈ હોય તેવી ચર્ચા ચાલી રહી છે. પરતું આવી ગંભીર ભૂલ ના પગલે લોકોનું આરોગ્ય જોખમ માં મુકાઈ રહ્યું છે. જેથી તત્ર દ્વારા સી.સી.ટી.વી કેમેરા ના ફૂટેજ તપાસી ને જવાબદરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના સેજલ દેસાઈ એ કરેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : પારૂલ યુનિવર્સીટીના નાયબ કુલસચિવ સામે ફરિયાદ : પત્ર કર્યો હતો વાયરલ.

ProudOfGujarat

રાજકોટમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર શાળા સંચાલક પતિને બચાવવા ભાજપના મહિલા અગ્રણીની છાત્રાને ધમકી, ‘હું ઇન્દ્રની અપ્સરા, મારો ધણી તારી સામે થૂંકે પણ નહીં’

ProudOfGujarat

ભરૂચમાં વધતા સંક્રમણ વચ્ચે શાકભાજીનાં લારી વિક્રેતાઓની બેદરકારી, માસ્ક વગર ફરતા લારી ધારક અને ખરીદી કરવા આવેલ લોકોનો વીડિયો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!