Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ઓવારા નજીક એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાંથી મૃતદેહો મળી આવવાનો સિલસિલો ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાંક સમય પહેલા કેબલબ્રિજ પરથી બે પ્રેમી પંખીડાઓએ નદીમાં પડતું મુકયું હતું. ત્યારબાદ એક જુવાન યુવતીએ નદીમાં ઝંપ લાવ્યું હતું. તાજેતરમાં સુપર માર્કેટ વિસ્તારમાં રહેતા યુવકનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ જવાના રસ્તા પર પુલ નીચેથી મળી આવ્યો હતો. ત્યારબાદ આજરોજ એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ ખાતેથી નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. શ્રાવણ માસના દિવસોમાં નર્મદા નદીમાં સ્નાન કરવાનું મહત્વ વધુ હોય છે ત્યારે વૃદ્ધ મહિલા સ્નાન કરવા ગઈ હોય અને તેવામાં ડૂબી જતાં મોત થયું હોય તેવી શંકા સેવાય રહી છે.

Advertisement

Share

Related posts

આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર – પાનોલીના ઉદ્યોગોના માથે તોળાતું સંકટ : નર્મદા ક્લિન ટેકને 30 દિનની સમય મર્યાદા હેઠળની ક્લોઝર નોટીસ ફટકારતું જીપીસીબી.

ProudOfGujarat

ભરૂચ:દેરોલ નજીક હત્યાના મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ, આડા સબંધ માં હત્યા થઇ હોવાનું આવ્યું સામે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!