Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ઓવારા નજીક એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાંથી મૃતદેહો મળી આવવાનો સિલસિલો ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાંક સમય પહેલા કેબલબ્રિજ પરથી બે પ્રેમી પંખીડાઓએ નદીમાં પડતું મુકયું હતું. ત્યારબાદ એક જુવાન યુવતીએ નદીમાં ઝંપ લાવ્યું હતું. તાજેતરમાં સુપર માર્કેટ વિસ્તારમાં રહેતા યુવકનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ જવાના રસ્તા પર પુલ નીચેથી મળી આવ્યો હતો. ત્યારબાદ આજરોજ એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ ખાતેથી નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. શ્રાવણ માસના દિવસોમાં નર્મદા નદીમાં સ્નાન કરવાનું મહત્વ વધુ હોય છે ત્યારે વૃદ્ધ મહિલા સ્નાન કરવા ગઈ હોય અને તેવામાં ડૂબી જતાં મોત થયું હોય તેવી શંકા સેવાય રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે ટ્રક પલ્ટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એલસીબી પોલીસ હાઈવે ની સિલ્વર સેવન હોટલ પાછળ થી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. 

ProudOfGujarat

ઈદ પૂર્વે પાણી સમસ્યાને લઈને કોંગ્રેસની પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત : શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત દૂર કરવા તાત્કાલિક પગલાં લેવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!