Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 16 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 961 થઈ.

Share

કોરોના પોઝીટિવ દર્દીઓનો આંક ભરૂચ પંથકમાં ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે જેથી લોકોમાં રાહતની લાગણી પણ ફેલાય છે. જેમ કે તા.30 નાં રોજ 33 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાયા હતા ત્યારબાદ આંકડો ઘટીને તા.31 નાં રોજ 21 થયો હતો. જયારે આજે કોરોના પોઝીટિવ દર્દીનો આંક 16 નોંધાયો છે. આમ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા ઘટતી જાય છે. આજના 16 દર્દીઓમાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 7, જંબુસરમાં 1 નોંધાયા હતા. આજરોજ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 21 થયો હતો. જયારે આજે 24 દર્દીઓ સાજા થતા કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં કુલ કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા 961 થઈ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતાં અકસ્માત, એકનું મોત

ProudOfGujarat

દેશ વિદેશના સહેલાણીઓ માટે એકતાનગરનું “આરોગ્ય વન” આકર્ષણનું કેન્દ્ર બન્યું

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!