Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટર અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરીમલસિંહ રણા અને અન્ય લોકોએ આ ઘટના વખોડી.

Share

ભરૂચ નગર વિસ્તારમાંથી ખુલ્લી ગટર દૂર કરવા અંગેનો એજન્ડા ઘણા લાંબા સમયથી ચર્ચાઇ રહ્યો છે. એક સમયે જયારે ભાજપ સત્તામાં ન હતું ત્યારે ખુલ્લી ગટરનો મુદ્દો આગળ કર્યો હતો હવે જયારે ભાજપ નગરપાલિકા ખાતે સત્તા ધરાવે છે ત્યારે કોઈ કામગીરી કરી રહ્યું નથી. ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક બાળકી, બે વડીલો તેમજ અન્ય 15 વ્યક્તિઓ આ ગટરમાં પડતાં લોકોએ જોયા હતા તેથી લોકોએ તરત જ તેમને બચાવી લીધા હતા. આ ગાંધી બજારમાં ખુલ્લી ગટર અંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરીમલસિંહ રણા અને અન્ય લોકોએ ઘેરા પ્રત્યાધાત આપતા જણાવ્યુ છે કે ગટરનાં પાણીમાં લોકો ખાબકે તે ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામ કરી ભરૂચ નગરની તમામ ગટર બંધ કરી લોકોને સલામત જીવન આપવું તેવી લોકમાંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વાયરસનાં દર્દીઓમાં મહા વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કુલ 22 જેટલા કેસો નોંધાતા જિલ્લામાં કુલ સંખ્યા 333 ઉપર પહોંચી ગઇ છે.

ProudOfGujarat

જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં અમરનાથ યાત્રા ફરી અટકી, વાહન વ્યવહાર ખોરવાયો

ProudOfGujarat

વડોદરા : લોક રક્ષકની પરીક્ષામાં કેન્દ્ર બદલાતા વિદ્યાર્થીઓની મદદ કરતી હરણી પોલીસની ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!