Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

નેત્રંગ તાલુકાના કબીર ગામની સીમમાં ખેતરમાં દવા છાંટી હોવાનું કહેતા પશુ પાલક સહીત ૧૦ કરતા વધુના ટોળોનો ખેડૂત પરિવાર ઉપર હુમલો.ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના કબીર ગામના પટેલ ફળિયામાં રહેતા નરેશભાઈ રાઘવભાઈ બલર ગતરોજ બપોરના સમયે પોતાના ખેતરે સોયાબીનના પાકમાં દવા છાંટી રહ્યા હતા તે સમયે ખેતરના શેઢા પર ભૂલેશ્વર ગામનો અમરસિંગ ચુનિયાભાઈ વસાવા પશુ ચરાવતો હતો તે દરમિયાન ખેડૂત નરેશભાઈ બલરે તેને ખેતરમાં દવા છાંટવામાં આવતું હોવાથી પશુને નુકશાન થશે તેમ કહેતા પશુ પાલક અમરસિંગ વસાવા સહીત અન્ય ૧૦ થી વધુ લોકોના ટોળા સાથે ખેડૂતની ઓરડી ખાતે ધસી આવી ખેડૂત નરેશભાઈ બલર અને તેઓની પત્ની મમતાબેન બલર અને મોટાભાઈ બાબુભાઈ બલર પર મારક હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત ખેડૂત પરિવારને પ્રથમ નેત્રંગ આરોગ્ય કેન્દ્ર જ્યાંથી વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાલિયા પોલીસે મારમારી અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત ઉજવાય ..જાણો શા કારણે ઉજવાય છે વટ સાવિત્રી વ્રત ..?

ProudOfGujarat

અમદાવાદમાં ત્રણ દિવસમાં ત્રણ ભૂવા પડતા રસ્તો બંધ કરવો પડ્યો

ProudOfGujarat

ડાંગ જિલ્લા ના આવાસ અને શોચાલય કૌભાંડમાં ત્રણ જિલ્લા ની પોલસે નવસારી માં એનજીઓ સંચાલક ના ઘરે રેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!