Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ સતત ચાલુ, પ્રોટેકશન વોલ કયારે બનાવવામાં આવશે તેની ચાલતી ચર્ચા.

Share

ભરૂચ જીલ્લામાંથી વહેતી નર્મદા નદીનાં સતત તીવ્ર વહેણ તેમજ વારંવાર આવતા પૂર અને ભરતીનાં પાણીનાં પગલે નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં કિનારાનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે. આવું જ ધોવાણ ઝાડેશ્વર તાલુકાનાં ગામો પાસેથી વહેતી નર્મદા નદી કિનારાની જમીનોનું થયું હતું. પરંતુ ત્યાં પ્રોટેકશન વોલનું કામ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તરફનાં કિનારાની જમીનોનું દર વર્ષે ધોવાણ થઈ રહ્યું છે તે અંગે ખેડૂતોએ ભૂતકાળમાં આવેદનપત્ર પણ પાઠવ્યા હતા. એક તબક્કો એવો પણ આવ્યો હતો જયારે પ્રોટેકશન વોલ બનાવવા મંજૂર કરી દેવામાં આવી હતી અને કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અગમ્ય કારણોસર કામકાજ બંધ રહેતા આ વર્ષે નર્મદા નદીમાં પૂરનું પાણી આવતા અંકલેશ્વર તરફનાં કિનારાનું ધોવાણ થયું છે ત્યારે આ વિસ્તારમાં પ્રોટેકશન વોલ બાંધવા અંગેની માંગ ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

પી.એમ.મોદીના ૭૧ માં જન્મદિવસના ભાગરૂપે સુરત શહેર મહીલા મોરચા દ્વારા કિન્નર સમાજ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં અષાઢી મેઘમહેર વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ…

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા ખાતે નર્મદા સાહિત્ય સંગમની પાંચમી સાહિત્ય સભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!