Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીમાં યુવક પર મગરનાં જીવલેણ હુમલાથી લોકોમાં ભય ફેલાયો.

Share

નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા રાજપારડીના દિનેશ વસાવા નામના યુવાન પર મગરે હુમલો કરી તેને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો આ યુવાનનો અડધો ખાધેલો મૃતદેહ ઘટનાના છેક ત્રીજા દિવસે લિમોદ્રા નજીકના કિનારે મળ્યો હતો. મગર દ્વારા યુવાન પર કરાયેલા આ જીવલેણ હુમલાના કારણે નર્મદા કિનારાના ગામોની જનતા ભયભીત બની છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી નર્મદામાં મગરો વસવાટ કરી રહ્યા છે અને નર્મદામાં મગરો દ્વારા ભુતકાળમાં પણ માણસો પર જીવલેણ હુમલા કરાયા હોવાની ઘટનાઓ બની હતી. હાલમાં આ રાજપારડીના ૩૫ વર્ષના દિનેશ વસાવા નામના યુવાન પર મગરે જીવલેણ હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો હોવાની વાતો જાણવા મળી છે. ઝઘડીયા તાલુકાના ઘણા ગામો નર્મદા કિનારે વસેલા છે. મગરો દ્વારા માણસો પર કરાતા જીવલેણ હુમલાઓના કારણે કાંઠા વિસ્તારની જનતા ચિંતિત બની છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

બુટલેટરોના બાતમીદાર બે ઘર ભેગા

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિપક આર. દરજી દ્વારા જાતિય સતામણી અંતર્ગત, અપની બેટી અપના કર્તવ્ય વિષય પર ઓનલાઇન વેબિનાર યોજાયો…

ProudOfGujarat

અંક્લેશ્વરમાં અષાઢી મેઘમહેર વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!