Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝંઘાર ગામનાં આગેવાનો અને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા સયુંકતપણે કોરોના સંક્રમણ અટકાવવા માટે એક કેમ્પનું આયોજન ઝંઘાર ગામ ખાતે શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે.

Share

કોરોનાનો કહેર યથાવત છે કોરોનાનાં ભયનાં કારણે જનતામાં જે ગેરસમજો ઉભી થઇ છે તેને દૂર કરી, સંક્રમણને ફેલાવો થતા રોકવા માટે જનજાગૃતિ અને જાત તપાસ જરૂરી છે તે બાબતે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગ્રામ જનોની ઘરે ઘરે તપાસ અને સ્ક્રીનીંગ કરવામાં આવશે.

કોરોનાને ફેલાતો રોકવાના આશયથી તા. 17-10-2020 શનિવારે વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગ્રામ્યજનોની ચકાસણી કરી જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર દવા આપવામાં આવશે અને યોગ્ય સારવાર મળી રહે તેવા આશયથી આખી ટીમ હાજર થશે.

Advertisement

આ કાર્યને અંજામ આપવા સવારે 8 કલાક થી વેલ્ફેર હોસ્પિટલની જુદી જુદી ટીમ ઝંઘાર ગામના ઘરે મહોલ્લામાં સેવા આપવા હાજર રહેશે ત્યારે તેનો પૂરો લાભ લઈ, અન્ય ગ્રામ્ય જનોને પણ લાભ મળે તે મુજબ દરેક ગામજનોએ યુવાનો વડીલોએ સહકાર આપવો એવી અપીલ કરવામાં આવે છે.

આ ઉપરાંત વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર ખાલિદ અને અન્ય આગેવાનો સાથે ડોક્ટર્સની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરેલ છે તેમાં ગામના દરેક લોકોને હાજર રહેવા સવારે 10 કલાકે મદરેસા હોલમાં રાખેલ છે જેમાં આમંત્રણ આપવામાં આવે છે.


Share

Related posts

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ProudOfGujarat

महेश बाबू और रजनीकांत का देहरादून कनेक्शन!

ProudOfGujarat

ગુજરાત ટાઇટન્સ જુનિયર ટાઇટન્સની બીજી સિઝનને ભરૂચમાં લાવે છે, બાળકોમાં રમતોની સંસ્કૃતિ ઊભી કરવાનો ઉદ્દેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!