Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બાયપાસ ચોકડીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધીનાં રોડનું નવીનીકરણ કરવા લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદન.

Share

ભરૂચ બાયપાસ ચોકડીથી ભરૂચ રેલ્વે સ્ટેશન સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય અહીં ભયંકર ખાડા પાડવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. આથી લોક જનશક્તિ પાર્ટીનાં ભરૂચ જિલ્લાનાં પ્રમુખ અબ્દુલ રઝાક યુસુફ કામઠી સહિતનાં આગેવાનોએ ભરૂચ કલેકટર સમક્ષ એક લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ રેલ્વે સ્ટેશનથી જંબુસર બાયપાસ ચોકડીનો રોડ ચોમાસાની સીઝન દરમિયાન અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયેલ હોય આ રોડ પર ભયંકર ખાડાઓ પડવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ છે તથા ઇમરજન્સીમાં એમ્બુલન્સને તેમજ શહેરીજનોને અનેક ગણી તકલીફો સહન કરવી પડે છે. ચોમાસાની સીઝન પૂરી થયેલ છે તો સમસ્ત ભરૂચ જીલ્લાનાં લોક જનશક્તિ પાર્ટીની માંગણી છે કે આ ખરાબ થયેલ રસ્તાને તાકીદે યુદ્ધનાં ધોરણે આ માર્ગનું સમારકામ- નવીનીકરણ કરવામાં આવે, આ રજૂઆતને ધ્યાને લઈ પ્રજાને પડતી તકલીફોમાંથી મુક્તિ મળે તેવી અમારી માંગણી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીનનાં પાક કૃત્યો સામે રોષ વ્યક્ત કરી ચાઈના બનાવટનાં મોબાઈલ અને ટીવી જાહેરમાં તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

સુરત : અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનને ઢોર માર મારતા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!