Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કિસાન વિકાસ સંધ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

Share

કિસાન વિકાસ સંધ એન્ડ પોલ્યુશન કંટ્રોલ સંધ એસોશિએશન દ્વારા ગુજરાતના રાજયપાલને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં લોકસભામાં પસાર કરવામાં આવેલા ત્રણ અધ્યાદેશ પસાર કરવામાં આવેલ છે જે કિસાનને અહિત કરનાર હોવાથી તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત સરકારની વિવિધ કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર દૂર કરવા પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર કિસાનો હાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીઓમાં પોતાનો માલ હરાજીથી વેચી પોષણક્ષમ ભાવ મેળવી શકે છે. આ કાયદો અમલમાં આવવાથી મલ્ટીનેશનલ કંપની દ્વારા કિસાનોનું શોષણ થાય તેવી સંભાવના છે એટલું જ નહીં પરંતુ મલ્ટીનેશનલ કંપનીઓ યુરિયા, ડાઈ, વગેરેનો ઉપયોગ કરી કિસાનોની ખેતીની જમીનની ફળદ્રુપતા ઓછી કરે તેવી સંભાવના છે. હાલમાં ખેતીલાયક જમીનો ઉદ્યોગો માટે સંપાદન કરીને કિસાનોને તેમના જ ખેતરમાં મજૂર બનાવી દેવાય છે. જેનો વિરોધ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે અને એમપણ જણાવવામાં આવ્યું કે અધ્યાદેશોની લોકસભામાં ચર્ચા કરવામાં આવેલ નથી. માત્ર ધ્વનિ મતથી અધ્યાદેશ પસાર કરવામાં આવ્યો છે. જેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે તે ઉપરાંત ખેતીની જમીનને બિનખેતીની બનાવવા માટે જરૂરી કાર્યવાહીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત અન્ય ભ્રષ્ટાચારનો પર્દાફાશ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. આવેદનપત્ર પાઠવવામાં કિસાન વિકાસ સંધના અરવિંદસિંહ રણા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

કોરોનાકાળના બે વર્ષના સમયગાળામાં નેત્રંગની તમામ શાળાઓની કફોડી હાલત.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં તૌક્તે વાવાઝોડાની અસરથી ૧૩૬ હેક્ટર ખેતીમાં વ્યાપક નુકસાન : કેરી અને કેળના તૈયાર પાક નષ્ટ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!