Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝધડીયા તાલુકાનાં ગુમાનદેવ પાસે ટ્રકે 3 મહિલાઓને અડફેટમાં લેતા મોત નીપજયું.

Share

અંકલેશ્વરથી ઝધડીયા તરફ જતાં રસ્તા પર સતત વાહન વ્યવહાર રહેતો હોય છે. પોલીસતંત્ર હપ્તા ઉધરાવવામાંથી ઊંચી આવતી નથી તેથી વારંવાર વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે. આજે તા. 28-10-2020 નાં રોજ મળસ્કાનાં સમયે ઝધડીયા પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગુમાનદેવ મંદિર પાસેથી પસાર થતાં પૂર ઝડપે આકરાથી એક ટ્રક જેવા વાહને 3 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચાડી તેમનું મોત નિપજાવ્યું હતું, જેમાં 3 પૈકી 2 મહિલાઓનાં મોત સ્થળ પર થયા હતા. જયારે એક મહિલાનું મોત સારવાર દરમ્યાન નીપજયું હતું. વહેલી સવારે ઊચેડિયા ગામનાં પાટિયા પાસે 3 મહિલા સહિત કેટલાક ઇસમો અંકલેશ્વર તરફ જવા વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ટ્રક પૂર ઝડપે આવતા ટ્રકે તારાબેન રમણભાઈ વસાવા, હસમુખ પટેલ અને ધરતી સોમાભાઇ પટેલ તમામ રહે. ઊચેડિયા તેમજ બુધાભાઈ સોમાભાઇ શનાને અડફેટે લઈ લીધા હતા જે પૈકી રેખાબેન અને ધરતીબેનનું ગંભીર ઇજાનાં પગલે સ્થળ પર મોત નીપજયું હતું. જયારે તારાબેન રમણભાઈ વસાવાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. જયારે ઇજાગ્રસ્ત બુધા શના વસાવાને સારવાર અપાઈ રહી છે. ફરાર થઈ ગયેલ ટ્રકનાં ડ્રાઈવરને પોલીસ શોધી રહી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની શ્રીજી વિધ્યાલય ખાતે “ ફ્લાવર્સ ડે” નુ આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં તંત્રનાં પાપે મચ્છરનો ઉપદ્રવ : શું નગરપાલિકા મચ્છરનાં ઉપદ્રવને અટકાવશે ?

ProudOfGujarat

નર્મદા જિલ્લા નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!