Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કિન્નરે પોતાના પ્રેમીની હત્યા કરી જાણો કેમ ?

Share

કિન્નર સાથે પ્રેમ રાખવાથી તેનો કરૂણ અંજામ આવ્યો હોય તેવો બનાવ ભરૂચ નજીક મકતમપુર વિસ્તારમાં બન્યો હતો. આ બનવામાં કિન્નર દ્વ્રારા તેના પ્રેમીને ચપ્પુનાં ઘા કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટનાની વિગત જોતાં ભરૂચ સી ડીવીઝન પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સુફિયાબેન ઇકબાલ યુસુફ શેખ મૂળ રહે. કાસીપૂરા સરાર જી. વડોદરા હાલ રહે. કરજણ પાનસોબાર તા. કરજણ જી. વડોદરાનાં જણાવ્યા અનુસાર સુફિયાબેનનાં નાનાભાઈ અબ્દુલ કાદિર હાજીભાઇ સિંધી ઉં. વર્ષ 30 ને મકતમપુર વિસ્તારમાં રહેતી નયના કિન્નર સાથે આશરે 10 વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ બંને વચ્ચે નાના મોટા ઝઘડા વારંવાર થતાં હતા અને મરણ જનાર અબ્દુલ ભાઈએ આશરે 4 દિવસ પહેલા સુફિયાબેનને ઘરે કરજણ ખાતે જઇ જણાવ્યુ હતું કે નયનનાં કિન્નરે જાનથી મારી નાંખવાની ધમકી આપેલ છે જેથી નયના કિન્નરે મરણ જનાર અબ્દુલ કાદિર હાજી ભાઈ સિંધીને ચપ્પુ વડે પેટની ડાબી બાજુએ બે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ બનાવ તા.11-11-2020 નાં રાત્રિનાં સમયે આશરે પોણા 8 પહેલા કોઈપણ સમયે મકતમપુર નજીક બન્યો હતો. આ બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સી ડીવીઝન પોલીસ દ્વારા ભંગાર ચોરીનાં ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : ગૌરીવ્રતનાં જાગરણનાં દિવસે છેડતીનો બનાવ બનતા એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય.

ProudOfGujarat

ઝગડીયા ના ઉમલ્લા સ્થિત શંકરલાલ રણછોડદાસ સ્થાપિત ટ્રસ્ટ દ્વારા બાળકો ને વિના મુલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!