Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલનાં નિધનથી ભરૂચ જીલ્લામાં શોકની લાગણી છવાઈ.

Share

છેલ્લા એકાદ મહિનાથી ભરૂચ જીલ્લામાં સાંસદ અહેમદભાઈ પટેલની તબિયત અંગે લોકો ચિંતામાં ગરકાવ હતા જેના પગલે ભરૂચ નગર અને જીલ્લામાં ઠેર-ઠેર ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વખતો વખત ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદભાઈ પટેલની તબિયત સુધારા પર છે તેવી વાતો વહેતી થતાં લોકોમાં ખુશીની લહેર વ્યાપી જતી હતી તેવામાં અચાનક આજે સવારે એક દુ:ખદ સમાચાર આવ્યા કે લોકનેતા અને લોકોના રાહબર અને હમદર્દ એવાં સાંસદ અહેમદભાઇ પટેલનું દુ:ખદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જીલ્લામાં અત્યંત ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. જીલ્લાનાં તમામ રહીશો તેમણે હદયપૂર્વકની શ્રદ્ધાંજલી પાઠવે છે એટલું જ નહીં પરંતુ આજે અને કાલે યોજાનાર કાર્યક્રમો પણ આવી દુ:ખદ ઘટના બનતા રદ કર્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા નજીકનાં ડ્રીમલેન્ડ પ્લાઝાનું શોપિંગ જર્જરિત થતાં ઉતારવાની કામગીરી કરાઇ…

ProudOfGujarat

ભરૂચના વાગરા તાલુકામાં થયેલ મર્ડરનો ગણતરીના દિવસોમાં પોલીસે ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર ઓ.એન.જી.સી કલબ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!