Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલનાં નિધનથી ભરૂચ જીલ્લામાં શોકની લાગણી છવાઈ.

Share

છેલ્લા એકાદ મહિનાથી ભરૂચ જીલ્લામાં સાંસદ અહેમદભાઈ પટેલની તબિયત અંગે લોકો ચિંતામાં ગરકાવ હતા જેના પગલે ભરૂચ નગર અને જીલ્લામાં ઠેર-ઠેર ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વખતો વખત ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદભાઈ પટેલની તબિયત સુધારા પર છે તેવી વાતો વહેતી થતાં લોકોમાં ખુશીની લહેર વ્યાપી જતી હતી તેવામાં અચાનક આજે સવારે એક દુ:ખદ સમાચાર આવ્યા કે લોકનેતા અને લોકોના રાહબર અને હમદર્દ એવાં સાંસદ અહેમદભાઇ પટેલનું દુ:ખદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જીલ્લામાં અત્યંત ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. જીલ્લાનાં તમામ રહીશો તેમણે હદયપૂર્વકની શ્રદ્ધાંજલી પાઠવે છે એટલું જ નહીં પરંતુ આજે અને કાલે યોજાનાર કાર્યક્રમો પણ આવી દુ:ખદ ઘટના બનતા રદ કર્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

બાકરોલ ની સીમ આવેલી ખુલ્લી જગ્યમા આગ લગતા અફરતફરીનો માહોલ સર્જાયો….

ProudOfGujarat

સાયબર ગુનાખોરી સામે ભરૂચની શાનદાર કામગીરી, ત્રણ પોલીસકર્મીઓને રાજ્યસ્તરીય ‘સાયબર કોપ’ સન્માન

ProudOfGujarat

ભરૂચ : રાજયમાં વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યું જાણો કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!