Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઠંડીની વધઘટનાં પગલે ભરૂચ જીલ્લામાં રોગચાળો વકર્યો.

Share

ભરૂચ જીલ્લામાં દરરોજ વાતાવરણ બદલાઈ રહ્યું છે કયારેક ઠંડીનો ચમકારો તો કયારેક ગરમીનું વાતાવરણ ભરૂચ જીલ્લામાં જણાઈ રહ્યું છે. એક દિવસ ઠંડી તો એક દિવસ ગરમીનાં કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વહેલી સવારથી જ પવનની ગતિનાં આધારે ભરૂચ જીલ્લામાં ગરમીનું પ્રમાણ નક્કી થાય છે જેમ કે છેલ્લા બે-ત્રણ દિવસથી પવનનાં સુસવાટા હોવાના પગલે ઠંડીનો ચમકારો વધુ લાગતો હતો પરંતુ આજે એટલે તા. 1/12/2020 નાં રોજ પવનની ગતિ ખૂબ ઓછી થઈ જતાં ઠંડીનો ચમકારો સમી ગયો છે તેવી જ રીતે આવતી કાલે તા. 2/12/2020 નાં રોજ પવનની ગતિ આશરે 10 કિમી પ્રતિ કલાક નોંધાશે અને તેની સાથે પણ લધુત્મ તાપમાન ઓછું થશે તેથી ઠંડીનો ચમકારો ઓછો થશે. આમ જીલ્લાનાં રહીશો એક દિવસ ઠંડી તો એક દિવસ ગરમીનું વાતાવરણ સહન કરતાં હોય ભરૂચ પંથકમાં શરદી, ખાંસી અને તાવ જેવો રોગચાળો ફેલાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેકટર.

ProudOfGujarat

સુરત જીલ્લાનાં વાહનોને ટોલનાકા ઉપર ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની સાથે સુવિધાઓ વધારવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો ટોલ મુક્તિ નહીં આપવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી હતી આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!