Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાનાં ધારાસભ્યની સરકારને રાકેશ ટીકૈત મુદ્દે ખુલ્લી ચેતવણી.

Share

ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા વિસ્તારનાં BTP નાં ધારાસભ્ય છોટુ વસાવાએ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. BTP પાર્ટી અવારનવાર સરકાર સામે અવાજ ઉઠાવતી જોવા મળે છે જેમાં આ વખતે છોટુ વસાવાએ ખેડૂત આગેવાન માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતને એક ખરોચ પણ આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે.

ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુ વસાવાએ પોતાના ટવીટમાં સરકાર સમક્ષ આંદોલનનો ફેંકયો છે ખુલ્લો પડકાર જેમાં તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે જો રાકેશ ટીકૈતને કઈ પણ થયું તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે અને આ આંદોલન ગુજરાતમાં ગમે ત્યારે થઈ શકે છે તેમ સરકારને ખુલ્લી ચેતવણી આપતા ટવીટ કર્યું છે.

અહીં નોધનીય છે કે ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે તો બીજી તરફ ઓવૈસીનાં કાર્યકરો કે ખેડૂત આગેવાનો દ્વારા સરકારને આ પ્રકારની ચેતવણી ભર્યા મેસેજ મળે છે ત્યારે આગામી સમયમાં ગુજરાત સરકાર અને સી.એમ વિજયભાઈ રૂપાણી દ્વારા ઓવૈસી સાથે કેવી રીતે ગઠબંધન કે વાતચીત કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાનુ વાઘજીપુર ગામનુ તળાવ નવા નીરથી ભરાયું

ProudOfGujarat

સણધરા ગામે તાપીના નવા નીરના વધામણા, વર્ષો જૂની પાણીની માંગણી પૂર્ણ

ProudOfGujarat

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!