Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઇ.વી.એમ. થી ચૂંટણીનો બહિષ્કાર કરતાં ઝઘડિયાનાં સુલતાનપુરાનાં ગ્રામજનો.

Share

સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ બાકી હોય આ પેટા ચૂંટણીમાં ઉમેદવારોએ ઇ.વી.એમ.મશીનનો બહિષ્કાર કરવા મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે.

ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા ગ્રામપંચાયત સુલતાનપુરા વિસ્તારનાં એક ઉમેદવારે મામલતદાર અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરતાં એક પત્રમાં જણાવ્યુ છે કે અમો અરજદાર સુલતાનપુરા ગૃપ ગ્રામપંચાયત વોર્ડ નં.12 ની પેટા ચૂંટણીમાં ઇ.વી.એમ. મશીનનો ઉપયોગ ના કરવો અને બેલેટ પેપરથી આ ચૂંટણી યોજવી જોઈએ, સંપૂર્ણપણે ઇ.વી.એમ. નો બહિષ્કાર કરવો અને બેલેટ પેપરનો જ ઉપયોગ કરવો જોઈએ. જે બાબત આ અગાઉ પણ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ તેનો કોઈ પ્રત્યુતર અમોને આજદિન સુધી મળેલ નથી. આ ચૂંટણીઓ સુલતાનપુરા ગામનાં રહેવાસીઓ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ જો ગ્રામપંચાયતની ચૂંટણી ઇ.વી.એમ. મશીનથી યોજવામાં આવશે તો તેને માન્ય રાખવામાં આવશે નહીં તેમ અહીંનાં ઉમેદવાર દિલિપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ફુલવાડી થઇને જીઆઇડીસીમાં જતા માર્ગની બિસ્મારતાને લઇને હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

કોસંબા નજીક સાવા માર્ગ પર રાત્રિનાં સમયે બિંદાસપણે દીપડો લટાર મારતાં પસાર થનારા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!