Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકામાં અાવેલાં કુકરવાડા ગામ પાસે અેલઅેન્ડટી કંપની દ્વારા રેલવે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. દરમિયાન અાજે સવારે અેક શ્રમજીવી બ્રીજ પરથી નીચે પટકાતાં તેનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

::-પોલીસ સુત્રીય માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં અાવેલાં કુકરવાડા પાસે નર્મદા નદી પર રેલવે બ્રીજ બનાવવાનું અેલઅેન્ડટી દ્વારા કામ હાથ ધરાયું છે. જેમાં કામ કરતાં શ્રમજીવીઅો માટે નજીકમાં જ અેલઅેન્ડટી કંપની દ્વારા લેબર કોલોની બનાવી છે. અાજે મંગળવારે સવારના સમયે શ્રમજીવીઅો બ્રીજ બનાવવાની કામગીરી કરી રહ્યાં હતાં. તે વેળાં રીન્કુકુમાર મહેરસિંગ સીંગ નામનો અેક કામદાર બ્રીજ પર સેફ્ટી બેલ્ટ બાંધી કામગીરી કરી રહ્યો હતો. તે વેળાં અેક અેંગલમાં હૂક લગાવતી વેળાં તેનું સંતુલન નહીં રહેતાં તે નીચે નદીમાં પડી ગયો હતો. તેને તાત્કાલિક નદીમાંથી કાઢી સિવિલ હોસ્પિટલમાં લાવતાં તબીબે તેને તપાસતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અભિયાનને તેજીથી આગળ વધારવા માર્ગદર્શન આપ્યુ

ProudOfGujarat

બિગ બોસ 16 : ‘બિગ બોસ 16’ ની શું હશે થીમ અને ક્યારે શરૂ થશે? બધા અપડેટસ જાણો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ત્રણ ડેમ ઓવરફલો થયાં જાણો કયા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!