ભરૂચ જીલ્લા પંચાયત કચેરીની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીલ્લા પંચાયતની પાસે ઘણા સમયથી ઝાંડીઝાખરા ઉગી નીકળેલા છે જેમા આજે એકાએક આગ લાગતા આગે મોટુ સ્વરૂપ ધારણ કરેલ હતુ જેને લઈને આસપાસના શોપિંગ સેન્ટરોના વેપારીઓ જીવ તાળવે ચોટયાં હતા. જોકે બનાવને જોતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને લશ્કરોએ આવીને કાબુ મેળવ્યો હતો.
નોંધનીય છેકે પાલિકા તંત્રએ પણ આવા ઝાડી-ઝાંખરાઓ સત્વરે જ દૂર કરવા જોઈએ જેથી ઉનાળાનાં સમયમાં આવા આગ લાગવાનાં બનાવો બને નહી. સમય સુચકતાથી જાનહાની કે નુકશાની થઈ નહતી.
Advertisement