Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચનાં કોંગ્રેસી કાર્યકરોએ દેશનાં બંધારણનાં ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

આ તકે ભરૂચ કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યુ હતું કે ડૉ.બાબા સાહેબ આંબેડકરે દેશમાં સ્વતંત્રતા બાદ સમગ્ર દેશવાસીઓને સમતા, સમાનતા અને સ્વતંત્રતા મળી રહે તે માટે સર્વને માટે બંધારણ ઘડયું હતું. આજે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસી કાર્યકરોએ નારા લગાવી તેમને યાદ કરી તેમની પ્રતિમાને હારતોરા કર્યા હતા. સદર કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, વિકી શોખી, હેમેન્દ્ર કોઠીવાલા, સમસાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ અને જયોતિબેન તડવી સહિતનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સમગ્ર ગુજરાત રાજ્ય હાઈ-એલર્ટ પર ભરૂચ જિલ્લામાં પણ પોલીસતંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત…

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન.

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી અજમેર બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને સૂત્રધાર સુરેશ નાયરને ATS દ્વારા ઝડપી લેવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!