Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

Share

હાલનાં સમયમાં વૈશ્વિક મહામારી કોરોના કુદકેને ભૂસકે વધતી જાય છે. ગુજરાત રાજયમાં કોવિડ-19 નાં કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેવામાં ભરૂચ જીલ્લામાં પણ કોવિડ-19 નાં કેસો વધી રહ્યા છે જેને અનુલક્ષીને ભરૂચ જીલ્લા આહીર સમાજ દ્વારા હંગામી ધોરણે રંગુન જનરલ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવામાં આવશે.

ભરૂચનાં આહીર સમાજનાં અગ્રણીઓની આજે એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સમાજનાં ભામાશા દ્વારા કોવિડ કેર સેન્ટરનો અને સમાજનાં જરૂરિયાતમંદ પરિવારમાં જો કોરોના પોઝીટિવ થાય કે કોઈ વ્યક્તિને ઓક્સિજન બેડ કે વેન્ટીલેટરની જરૂર પડે તો ભરૂચ તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો રંગુન જનરલ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. અહીં દર્દીને આઇસોલેશનની પણ સગવડ આપવામાં આવશે. આહીર સમાજનાં યુવકો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા ૧ લાખ ઉપરાંતની કરી ચોરી

ProudOfGujarat

મૌજે નાની નરોલી ગામેથી પરપ્રાંતિય ઇસમને તેના માદર વતનમાં મોકલતી માંગરોલ પોલીસ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલથી ઉમરપાડા-નેત્રંગની આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર, ઉનાળામાં પણ શાકભાજીથી હજારોની કમાણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!