Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોવિડ સ્મશાનમાં મોતનું તાંડવ યથાવત : છેલ્લા 24 કલાકમાં કોવિડ સ્મશાનમાં 65 થી વધુ લોકોને અગ્નિદાહ અપાયા.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે કોવિડ સ્મશાનમાં સ્થિતી વધુ વિકટ બનતી જોવા મળી રહી છે, છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં મૃતદેહનો આંકડો વધી રહ્યો છે. જેમાં ગઇકાલ સવારથી આજ સવાર સુધી કોવિડ સ્મશાનમાં 65 થી વધુ મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અંતિમક્રિયા કરવામાં આવી છે. આમ જિલ્લાની અંદર કોરોના કાળમાં 2000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે તંત્રના આંકડા માત્ર હજુ સુધી 74 ઉપર જ પહોંચ્યા હોય તેમ સ્મશાન અને કબ્રસ્તાનનાં મૃત્યુ દર અને તંત્રનાં સત્તાવાર મૃત્યુના દરમાં ફેરફાર જોવા મળતા લોકોમાં પણ મામલો કોરોનાકાળ વચ્ચે ચર્ચાસ્પદ બન્યો છે.

ભરૂચ જિલ્લામાં વિકટ બનતી સ્થિતિ સામે હવે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે, યુવા વયથી લઇ ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના અણધાર્યા મોતથી હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ કોરોનાના પોઝીટિવ કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે.
કોવિડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબો ખુલતા જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, એક તરફ વધતા મોતના આંકડા અને બીજી તરફ વધતા કેસોએ તંત્રને પણ દોડતું મુક્યું છે.

Advertisement

Share

Related posts

ઘી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી.ની ૯૭ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરના બાકરોલ-કાપોદ્રા ગામની ખાડીમાં ફરી મગર દેખા દેતા સ્થાનિકોમાં ભય, વન વિભાગ પાંજરું ગોઠવે તેવી લોક માંગ

ProudOfGujarat

રાજપીપળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં વિસ્તૃત કારોબારી બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!