Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં કોવિડ સ્મશાન ખાતે એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકે અશ્રુભીની આંખે પિતાને અગ્નિદાહ આપ્યો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઘણી વિકટ બની રહી છે, કોરોનાની બીજી લહેરે કેટલાય લોકોના ઘર વેર વિખેર કરી નાખ્યા છે તેવામાં જ આજરોજ એક 14 વર્ષનાં પુત્રને એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતા બંનેને ગુમાવી એકલો પડી ગયો હતો.

ભરૂચ જિલ્લાના મનુબર ગામ ખાતે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. મનુબર ગામે રહેતા 14 વર્ષીય જયરુદ્ર પરમાર નામના બાળકનાં માતા અને પિતાને કોરોના થયો હતો અને બંને માતા-પિતાને હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા, ત્યારે એક અઠવાડિયા પહેલા જ બાળકની માતા દીપ્તિકાબેન હિતેશકુમાર પરમારએ કોરોના સામે હાર માની જીવ ગુમાવ્યો હતો અને આજરોજ તેમના પિતા હિતેશકુમાર પરમારે પણ કોરોના સામે હાર માની હતી. આજરોજ કોવીડ સ્મશાન ખાતે બાળકે અશ્રુભુની આંખે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. કુદરત બની ક્રૂર! જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુર ગામથી ટેમ્પોની ચોરી કરનાર આરોપીને ચોરાયેલા ટેમ્પા સહીત ગણતરીનાં કલાકોમાં પાલેજ ખાતેથી ભરૂચ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો હતો…

ProudOfGujarat

ભરૂચ : રાજપારડીમાં BTP નાં હોદ્દેદારો સામે મારામારીનાં મુદ્દે થયેલી ફરિયાદનાં વિરોધમાં બીટીપી અને બીટીએસ દ્વારા વળતો આક્ષેપ કરી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

દેરોલ ગામે ધાર્મિક ભાવનાનો ઉમળકો: 800 લોકોનો મહાભંડારો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!