Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાઉ-તે વાવાઝોડાને કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોનાં પાકોમાં તબાહી…

Share

ભરૂચ જિલ્લાના વાગરા અને જંબુસર તાલુકાના દરિયા કાંઠે આવેલાં આસપાસના ગામોમાં સંભવિત વાવાઝોડાની નુકશાની ન થાય અને એક પણ માણસને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા અને વહીવટી તંત્ર ખડે પડે કામગીરી કરી રહ્યુ છે.પરંતુ કુદરતી આફતને કાબુમાં લેવું અશક્ય છે તે જ રીતે ભરૂચના કેટલાય ગામોના સીઝનલ પાકોમાં નુકશાન થયું છે જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા દેખાઈ રહી હતી. ભારે પવન ફૂંકાવાને કારણે તાલાલા ગામના ખેતરોમાં કેરીઓ ખરી પડતા ખેડૂતોને કરોડોનું નુકશાન ભોગવાનો વારો આવ્યો છે, ભરૂચના અંતરિયાળ વિસ્તાર સહિત અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ ખાતે કેળ, પપૈયા અને કેરીના પાકને મોટુ નુકશાન થયું હતું.

નુકશાન થવાથી ખેડૂતમાં માતમનો માહોલ સર્જાયો હતો. ગરીબ ખેડૂત જેનો નિર્ધાર ખેતી જ હોય છે તેવા ખેડૂતોને ભારી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Advertisement

Share

Related posts

સ્વામિનારાયણ ગુરૂકુળ વિસાવદર તેમજ આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ દ્વારા આયોજિત વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તેમજ S.S.C, H.S.C. વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

નડિયાદમાં ચાલતા જુગારધામ પર વિજલન્સે દરોડો પાડી ૧૫ જુગારીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

ઘરમાં 100 કોકરોચ ઉછેરવાને બદલે કંપની આપી રહી છે દોઢ લાખ રૂપિયા ! કારણ પણ જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!