Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાઉ-તે વાવાઝોડાને પગલે ભરુચ પંથકમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા : કલેકટરે ઘરે રહેવા અપીલ કરી.

Share

તાઉ-તે વાવાજોડાને પગલે ભરૂચ જિલ્લાના વાગરા અને જંબુસર તાલુકાના દરિયા કાંઠે આવેલાં આસપાસના ગામોમાં સંભવિત વાવાઝોડાથી નુકશાની ન થાય અને એક પણ માણસને જાનહાનિ ન થાય તે માટે ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા અને વહીવટી તંત્ર ખડે પડે કામગીરી કરી રહ્યુ છે. જંબુસરના કાવી પંથકમાં પવનનું જોર વધતાની સાથે જ વૃક્ષ મૂળમાંથી નીકળી આવ્યા હતા જેને નજીક વીજ વાયરો હોવાને કારણે વીજ પોલો પણ ઉખડી નીકળ્યા હતા જેથી આસપાસ રહેતા લોકોને લાઈટ વગર ભારે હાલકી થઈ હતી.

જે સહિત આંબાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા ઇકો કાર પર પડ્યું હતું જેમાં ચાલાક સહિતના લોકોનો કોઈ નુકશાન ન પહોંચતા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ભરૂચ સહિતના નેત્રંગ પંથકમાં 25 થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા અને ભરૂચ શહેરના 10 થી વધુ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હતા. એમ કુલ 50 થી વધુ સ્થળેથી વૃક્ષ ધરાશાયી થયા હતા જેને પગલે ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં ખડસદ ગામે કેનાલની પાઈપ સાફ કરવા ગયેલા આધેડનું ફસાઇ જતાં મોત થયું.

ProudOfGujarat

ગોધરા : આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જાહેરનામામાં નિયમો ન જળવાયા હોવાના આક્ષેપ સાથે આવેદન.

ProudOfGujarat

વડતાલ ધામમાં રંગોત્સવની ઉજવણી કરાઇ, હરીભક્તોએ રંગોત્સવનો લાભ લઇ ધન્યતા અનુભવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!