Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચમાં પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રનો પ્રારંભ યુવાનોને યોગ્‍ય તાલીમ – માર્ગદર્શન જરૂરી -: અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાત

Share

વિશ્વના સૌથી મોટા યુવા ભારત દેશના યુવાનોને યોગ્‍ય તાલીમ અને માર્ગદર્શન જરૂરી છે તેમ અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાતે ભરૂચ ખાતે પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્રના ઉદઘાટન પ્રસંગે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે શ્રી સીવેન્‍દ્ર ચૌધરી – નીફાના રીજીયોનલ મેનેજર, શ્રી આશિષ સકશેના, શ્રી આસીમભાઇ, સંગીતાબેન મિષાી, આશિષભાઇ, નગરપાલિકાના સદસ્‍યશ્રી સલીમભાઇ અમદાવાદી તથા અન્‍ય મહાનુભાવોની હાજરીમાં વેલ્‍ફેર કોમ્‍પલેક્ષ, મનુબર ચોકડી પાસે – ભરૂચ ખાતે દીપ પ્રાગટય કરી કાર્યક્રનો શુભારંભ કરી પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્ર ખૂલ્લુ મુક્‍યું હતું.

Advertisement

અધિક કલેક્‍ટરશ્રી સી.બી.બલાતે જણાવ્‍યું હતું કે, કૌશલ્‍ય તાલીમએ રોજગારી સાથે સંકળાયેલી બાબત છે. આ તાલીમમાં નિયમિતતા, શિસ્‍તતા, વાંચન, વિવેક, વર્તન પણ સારા હોવા જોઇએ. કોમ્‍પ્‍યુટર, શિક્ષણ, આધુનિક ફેશન પ્રમાણે શિક્ષણ વર્ગની પણ તાલીમ મળનાર છે ત્‍યારે તમામ તાલીમાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધવા માટે આવી તાલીમ મેળવવી સ્‍વરોજગારી મેળવીને પોતાના પગભર થવા આહવાન ર્ક્‍યું હતું.

આ પ્રસંગે શિક્ષણ વિભાગના સંગીતાબેન મિષાી તથા નીફાના આસીમભાઇ વગેરેએ પ્રાસંગીક પ્રવચન ર્ક્‍યું હતું.

નીફાના રીજીયોનલ મેનેજર શ્રી સીવેન્‍દ્ર ચૌધરીએ ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા તથા કૌશલ્‍ય તાલીમ કેન્‍દ્રના કોર્ષની વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે દેશમાં એક કરોડ બાળકોને તાલીમ આપવાનું આયોજન છે તેમ પણ જણાવ્‍યું હતું. શ્રી આશિષભાઇ સકસેનાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્‍યા હતા.


Share

Related posts

RBSK યોજનાની માનવતાભરી સિદ્ધિ: જન્મના માત્ર 10મા દિવસે હૃદયની સર્જરીથી નવજાત બાળકીને મળ્યું નવજીવન   :  ભરૂચની બાળકીમાં જન્મજાત હૃદયરોગનું સમયસર નિદાન થતાં અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સફળ સર્જરી

ProudOfGujarat

સુરત 108 ટિમ બની ભગવાન એક વૃદ્ધ ને CPR આપી ને આપ્યું નવજીવન

ProudOfGujarat

ભરૂચ : આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને મે માસની ખાંડ ન મળતાં રોષ : ઓનલાઈન કૂપન ન નીકળતાં દુકાનધારકોને બખ્ખાં.

ProudOfGujarat
error: Content is protected !!