Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલના સ્વજનોને સહાય કરવા કોવિડ-19 યાત્રા શરૂ કરાઇ.

Share

પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા હાલ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના આપવા માટે કોરોના 19 યાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં દુખી પરિવારોને 4 લાખની સહાય મળે તે માટે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરી સરકાર પાસે સહાયની માંગણી કરવામાં આવી છે.

જેમાં હાલમાં ભરૂચ તાલુકામાં જિલ્લા પંચાયત શેરપુરા, નબીપુર, ભાડભૂત, પાલેજ તેમજ અન્ય બેઠકના ગામોનાં ઘરે ઘરે જઈ મુલાકાત લીધી હતી. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સલિમભાઈ, તાલુકા પંચાયત સદસ્ય હબીબ પટેલ, ઇલયાસ પટેલ, ઇમરાન મુન્શી, દાઉદભાઈ હવેલીવાલા, અબ્દુલભાઈ ટેલર, શકીલભાઈ અકુજી તથા જિલ્લા પંચાયત પાલેજ બેઠકના ઉમેદવાર અફઝલભાઈ ઘોડીવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ સલિમભાઈ દૂધવાળા તેમજ તાલુકાનાં અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ ફોર્મ ભરવાની કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 650 જેટલા કોરોનામા મૃત્યુ પામેલાઓના ફોર્મ તાલુકા કોંગ્રેસ સમિતિએ એકત્ર કરેલ છે.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં કોરોનાની મહામારીમાં બે પત્રકારો ગુમાવ્યા.

ProudOfGujarat

રાજપીપળા ગ્રામીણ બેંક મૃતપાય હાલતમાં થવા પાછળ ચેરમેન,એમડી,વા.ચેરમેન જવાબદાર હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

પરણિત પ્રેમિકા ની હત્યા કરનાર પ્રેમ ને મધ્યપ્રદેશ થી ઝડપી પડતી નવસારી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!