Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય કિશાન સંઘ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની નબીપુર પંથકમાં કોઈ જ અસર નહીં.

Share

છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ખેડૂત સુધારણાના કાયદાના વિરુદ્ધમાં જુદા જુદા ખેડૂત સંગઠનો દ્વારા કાયદો પરત ખેંચવા માટે આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજે 27 મી સપ્ટેમ્બર 2021 ના રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા સવારથી દેશ વ્યાપી રસ્તા રોકો આંદોલનની જાહેરાત આપી હતી.

જેના કારણે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ જાહેર માર્ગો, નેશનલ હાઇવે ઉપર પૂરતો બંદોબસ્ત મૂકી દેવાયો છે. નબીપુર વિસ્તારમાં ભારત બંધની કોઇ જ અસર જોવા મળી નથી અને જનજીવન સામાન્ય છે. આમ જનતા પણ પોતાના કામધંધામા રાબેતા મુજબ વ્યસ્ત છે. ભારત બંધને નબીપુર પંથકમાં પ્રતિસાદ મળ્યો નથી. જનજીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ફૂલવાડી ચોકડી નજીકથી ખેરનાં લાકડા ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં 3 બાઇકને રહસ્યમય રીતે આગ ચાંપી દેવાની ધટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!