Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય કિશાન સંઘ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની નબીપુર પંથકમાં કોઈ જ અસર નહીં.

Share

છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલા ખેડૂત સુધારણાના કાયદાના વિરુદ્ધમાં જુદા જુદા ખેડૂત સંગઠનો દ્વારા કાયદો પરત ખેંચવા માટે આંદોલન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે આજે 27 મી સપ્ટેમ્બર 2021 ના રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા સવારથી દેશ વ્યાપી રસ્તા રોકો આંદોલનની જાહેરાત આપી હતી.

જેના કારણે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ જાહેર માર્ગો, નેશનલ હાઇવે ઉપર પૂરતો બંદોબસ્ત મૂકી દેવાયો છે. નબીપુર વિસ્તારમાં ભારત બંધની કોઇ જ અસર જોવા મળી નથી અને જનજીવન સામાન્ય છે. આમ જનતા પણ પોતાના કામધંધામા રાબેતા મુજબ વ્યસ્ત છે. ભારત બંધને નબીપુર પંથકમાં પ્રતિસાદ મળ્યો નથી. જનજીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વડોદરાનાં મંગળ બજારમાં PUMA કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ કરતાં બે વેપારીઓની અટકાયત

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ચાર રસ્તા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું બે દિવસની સારવાર બાદ મોત.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉછાલી અવાદર ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વનવિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવાની તજવીજ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!